Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

70th Independence Day Celebration – 2016

Gurukul Ahmedabad
Students of Gurukul Ahmedabad, SGVP International School and Darshanam Sanskrit Mahavidyalay celebrated 70th Independence day in the presence of Sadguru Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Purani Shree Balkrishnadasji Swami and other dignitaries. After the hoisting of National flag, students performed March past and patriotic programmes. Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami also inspired the students with telephonic addressing.

શહિદો, ગાંધીજી જેવા નેતાઓ, સંતો વગેરે ક્રાંતિકારી પાયાના પરિબળોને કયારેય ભૂલી શકાય નહીં શા.માધવપ્રિયદાસજી સ્વામી શહિદોની કુરબાનીએ આઝાદીના દ્વાર ઉદ્યાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છેં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી: એસજીવીપી, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે મેમનગર ખાતે ઉજવાયેલ ૭૦ મો સ્વાતંત્ર્ય પર્વ શહિદો, ગાંધીજી જેવા નેતાઓ, સંતો વગેરે ક્રાંતિકારી પાયાના પરિબળોને કયારેય ભૂલી શકાય નહીં  ~ શા.માધવપ્રિયદાસજી સ્વામી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, એસજીવીપી ઇન્ટરનેશનસ સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓના સંયુકત ઉપક્રમે  ૭૦ મો સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ મી ઓગષ્ટ શાનદાર રીતે  ઉજવાયો હતો. જેમાં  ત્રણેય શાળાના ૨૦૦૦  બાળકો,  વાલીઓ,  શિક્ષકગણે ઉપસ્થિત રહી માણ્યો હતો. કાર્યક્રમની શરુઆતમાં મેમનગર ગુરુકુલ વ્દ્યિાલયના આચાર્ય શ્રી સૂર્યકાંત પટેલના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભકિતના ગીતો, લેઝિમના દાવો, ચક્રના દાવો, માસ પીટી, ડમ્બેલ્સ વગેરે આકર્ષક, વિવિધતાથી ભરેલ અને હેરત પમાડે તેવા કાર્યક્રમો રજુ કર્યા ત્યારે સૌ કોઇએ તાલીઓથી બાળકોને વધાવ્યા હતા.
        ત્યારબાદ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓેના માર્ચ પાસ્ટ કાર્યક્રમને મહાનુભાવોએ ફુલડાથી વધાવ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ સમૂહ સંગીત સ્પર્ધામાં વિજેતા થચેલ મેમનગર ગુરુકુલ ટીમ તથા એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના સંગીતના વિદ્યાર્થીઓએ સમૂહ ગીત રજુ કર્યું હતું. ત્યારબાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ત્રિરંગો ફરકાવી, ભારત માતાની જયનાદ સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિના પ્રસાર અને પ્રચાર માટે અમેરિકા ગયેલા પુ માધવપ્રિયદાજી સ્વામી એ ટેલિફોન દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં પ્રથમ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરેને યાદ કરી શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી.  અને જણાવ્યું હતું કે આપણા નેતાઓ અને અન્ય ક્રાંતિકારી યુવાનોએ અત્યંત કઠિનાઇઓ વેઠીને ભારતને આઝાદ કરેલ છે તે આપણે ભૂલવું જોઇએ નહીં. ખરેખર તો ૧૮૫૭ થીજ ભારતીય સેનામાં ક્રાંતિની ચિનગારી પ્રગટી ચુકી હતી. ત્યાર પછી ગામડે ગામડે, નગરે નગરે અને સંત મહન્તોના આશ્રમોમાં ક્રાન્તિના કેન્દ્રો બની ગયા હતા. પરિણામે બ્રિટીશ સરકાર ભારતને આઝાદી આપવા મજબુર બની. આ રીતે ક્રાન્તિના પરિબળોને કયારેય ભૂલાય નહી. ખરેખર દરેક શાળાઓમાં આઝાદીના જંગનો સાચો ઇતિહાસ ભણાવવો જોઇએ. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારતના દરેક નાગરિકો જેમ ધર્મના તહેવારો ઉજવે છે તેમ રાષ્ટ્રિય તહેવારોને પણ ઉજવવા જોઇએ. રાષ્ટ્રિય તહેવારો આપણી આંતિરક ઉર્જા પુરી પાડે છે. આપણા શહિદોની કુરબાનીએ આઝાદીના દ્વાર ઉદ્યાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેને કયારેય ભૂલવા જોઇએ નહીં. ખરેખર આપણો દેશ સંતો અને ભગવાનના અવતારોનો દેશ છે. જયાં પવિત્ર ગંગા નદી વહી રહી છે. ભારત એવો દેશ છે જયાં જાત જાતના વેશ, અનેક પરંપરા, અનેક ભાષા.છતાં વૈવિધ્યતામાં એકતાનો દોરો પરોવાયેલો છે. વિશ્વમાં આવી ભાતીગળ સંસ્કૃતિ કયાંય જોવા નહીં મળે. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સુર્યકાંતભાઇ પટેલ તથા એસજીવીપી સ્કુલના પ્રિન્સીપાલ તેમજ તમામ શિક્ષકોને તથા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
 
Click Here for Newspaper Event
 

 

 

 

 

Achieved

Category

Tags