Gadhapur

શ્રીમદ્ સત્સંગિજીવન કથા, ગઢપુર - 2022

Click Here for P. P. Sadguru Purani Shree Bhaktiprakashdasji Swami Aksharvas

તીર્થરાજ ગઢપુર ખાતે, શ્રી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં, અક્ષર નિવાસી પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં તારીખ ૨ થી ૮ મે, ૨૦૨૨ દરમિયાન SGVP ગુરુકુલ પરિવાર દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીનો અક્ષરવાસ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ સંસ્થાના પવિત્ર અને ભજનાનંદિ સંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તારીખ ૧૨ એપ્રિલ ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે હરિસ્મરણ કરતા કરતા અક્ષરવાસી થયા છે.

આ યજ્ઞપ્રિય, ભજનાનંદી સંતવર્ય પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં વૈદિક પરંપરા મુજબ પરમહંસો માટે અંતિમ સંસ્કાર બ્રહ્મમેધ સંસ્કાર સાથે અગ્નિ સંસ્કાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થધામ ગઢપુર ખાતે ઉન્મત ગંગાકિનારે અગ્નિ સંસ્કાર સંપન્ન થયો.