Guru Poornima

ગુરુવંદના પર્વ દ્રોણેશ્વર ગુરુકુલ - 2022

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તા. ૧૯ જૂલાઈ ૨૦૨૨ના રોજ ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગુરુવંદના પર્વ નિમિત્તે ધર્મસભાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા ફાટસર, ઇંટવાયા જરગલી, ઉના, ગીરગઢડા, દ્રોણ, નવા-જુના ઉગલા, જામવાળા, ધ્રાફા, મોલી વગેરે ગામોના હરિભકતો ઉપસ્થિત રહયા હતા.

ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુકુલ રીબડા(રાજકોટ) - 2022

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.

વ્યાસ પૂજન SGVP - ૨૦૨૨

ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. ભારત દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદવ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત આદિ ૧૮ પુરાણો, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી, વ્યાસ સૂત્રોની રચના કરી ભારતીય સંસ્કૃતિને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગથી સમૃદ્ધ કરી છે. અને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે. એવા વેદવ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી.

ગુરુ પૂર્ણિમા SGVP ૨૦૨૨

સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ અર્વાચીન સમયમાં ગુરુકુલની સ્થાપના દ્વારા સમાજલક્ષી, મૂલ્યનિષ્ઠ અને યુગો સુધી સફળ રહેલી પ્રાચીન શિક્ષણ પદ્ધતિની પરંપરા શરૂ કરી, સાથે સાથે કેવળ કરુણાના ભાવ સાથે અનેકવિધ સામાજિક સેવાપ્રવૃત્તિઓના પ્રવર્તક બની ભગવાન શ્રી સ્વામિનારાયણના સદવિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સંદેશાઓને વિશ્વવ્યાપી બનાવ્યા.

Gurupurnima Festival - 2021

૨૪ જુલાઇ ૨૦૨૧, ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે, વહેલી સવારે SGVP ગુરુકુલની વિશાળ યજ્ઞશાળામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શુક્લયજુર્વેદ, કૃષ્ણયજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો અભ્યાસ કરતા નાના ઋષિકુમારોએ વૈદિક મંત્રોના ગાન સાથે, મહાકાય અજાનબાહુ વ્યાસ ભગવાનની મૂર્તિનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખાસ વિષ્ણુ યાગ રાખવામાં આવેલ.

Gurupoornima - 2019

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તા. 17 જૂલાઈ ૨૦૧૯ના રોજ એસજીવીપી ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વંદનાના નૃત્યથી સદગુરુ સંતોનું સ્વાગત કર્યું હતું.

Guru Poornima – Savannah - 2019

The auspicious event of Guru Poornima was celebrated at Shree Swaminarayan Gurukul Sanatan Temple Savannah on 13 July 2019.

Saints and devotees performed the Poojan of Bhagwan Shree Swaminarayan and Sadgurus to accept the obligation done by Sadgurus. As the day is to know importance of Bhagwan Ved Vyas, worship of holy scripture VED was also performed.

Shastri Shree Sarvamangalsadji Swami explained the importance of the Guru Poornima.

Guru Poornima Mahotsav - 2018

ગુરુ પૂર્ણિમા – ભરતવર્ષ પર અને સમગ્ર માનવ સમાજ પર, શ્રેય અને પ્રેય – બંનેની પ્રાપ્તિ માટે જેમનો કરુણાપુર્ણ ઉપકાર રહ્યો છે એવા ભગવાન વ્યાસ મહર્ષિ પ્રત્યે અને પોતાના માનવ જીવન પર અગણિત ઉપકાર કરનાર ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનું ભારતીય સંસ્કૃતિનું મહાન પર્વ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં ગુરુવંદના - ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.

Guru Poornima - 2017

Guru Poornima – one of the devotional event in the tradition of Guru & Shishya, spiritual master and disciples. Bhagwan Ved Vyas, the source of true knowledge, beneficial to all in the universe. Guru Poornima is the day to accept gratitude towards his benevolence to entire mankind. In this tradition of knowledge, we express a feeling of thankfulness towards our Guru.

Pages