Hanuman Jayanti

Shree Hanuman Jayanti and 4th Annual Patotsav - Savannah - 2023

શ્રી હનુમાન જયંતિ મહોત્સવ અને ચતુર્થ પાટોત્સવ

SGVP - અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના પ્રચાર પ્રસારાર્થે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી વિશ્વના અનેક દેશોમાં સતત વિચરણ કરતા રહે છે અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરતા રહે છે.

Shri Hanuman Jayanti - 2021

ચૈત્ર સુદ પુનમ તા. ૨૭ એપ્રિલ ૨૦૨૧, હનુમાનજી મહારાજના જન્મદિન પર્વે SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ હનુમાન ગઢી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં હનુમાનજી મહારાજનું ષોડશોપચાર સાથે પૂજન કરી મારુતિ યજ્ઞ કર્યો હતો.

આ મારુતિ યજ્ઞમાં ઘી, તલ, સરસવ, આંકડો, પાયસ, વગેરે પંચદ્રવ્યોથી હનુમદ્ મંત્ર તથા હનુમાન માલા મંત્રથી અગ્નિનારાયણને ૧૦૮ આહુતિ આપવામાં આવી હતી. પૂજ્ય સ્વામીજીએ યજ્ઞાન્તે પૂર્ણાહૂતિની આરતિ ઉતારી હતી.