Murti Pratishtha Mahotsav - Ribda
સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ શ્રી હરિના સંદેશાઓને પોતાના જીવનમાં તાણાવાણાની જેમ વણીને ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી. ખરેખર શાસ્ત્રીજી મહારાજે શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે. એજ રીતે ગુરુદેવ શાસ્રીજી મહારાજના માર્ગે ચાલીને ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ અનેક સેવાક્ષેત્રે સેવાઓની હરણફાળ ભરી રહ્યું છે. આ સેવા કાર્યના નૂતન સોપાન સ્વરુપે રીબડા (રાજકોટ) ખાતે ગુરુકુલનો આરંભ થયો છે.
તાજેતરમાં જ આ ગુરુકુલ કેમ્પસમાં નૂતન પાર્થના મંદિરનું નિર્માણ થયું છે. તા. ૫-૧૧-૨૦૧૯ થી ૯-૧૧-૨૦૧૯ દરમ્યાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે નૂતન પ્રાર્થના મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

Latest News
14-Jan-2021 | Chikki Annakut - Droneshwar (2021) |
14-Jan-2021 | Shree Ram Mandir Seva |
1-Jan-2021 | Devotional program of mansion music - 2021 |
16-Nov-2020 | Annakut Distribution - Gurukul Ribda (Rajkot) |
14-Nov-2020 | Deepavali - 2020 |
8-Nov-2020 | Distribution of Daily Needs - Social Community - 2020 |
31-Oct-2020 | 20th Patotsav of Shree Ghansyam Maharaj-2020 |
29-Oct-2020 | Shraddhanjali to Late Shree Keshubhai Patel |
13-Oct-2020 | Online Akhand Dhun - 2020 |
13-Oct-2020 | Apple Falkut Mahotsav - 2020 |
Add new comment