સિંહસ્થ મહા કુંભ, ઉજ્જૈન – ૨૦૧૬
Posted by news on Friday, 20 May 2016ઉજ્જૈન ખાતે શ્રી મહાકાલેશ્વર ભગવાનના સાનિધ્યમાં અને પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે આયોજીત સિંહસ્થ મહાકુંભની પૂર્ણાહૂતિની પૂર્વ સંધ્યાએ ઉદાસીન જુના અખાડાના પીઠાધિશ્વર અવધેશાનંદજી મહારાજની અધ્યક્ષ સ્થાને વિરાટ હિન્દુ સંત સંમેલન યોજાયુ હતું.
આ પ્રસંગે ભારતવર્ષના મહાન સંતોમાં શ્રી કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજ, બાબા રામદેવજી મહારાજ, પરમાર્થ નિકેતનના અધ્યક્ષ શ્રી ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી મહારાજ), ભારત મંદિર હરિદ્વારાના સત્યમિત્રાનંદજી મહારાજ, તેમજ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી વગેરે મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા.