Utsav

ભગવદ્‌ ગીતા જયંતીની ઉજવણી - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ દ્વારા કાર્યરત દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા માગશર સુદી એકાદશી તારીખ ૩ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગીતા જયંતિના દિવસે મહાવિદ્યાલયના આચાર્યો, ઋષિકુમારો તથા સંતો દ્વારા પ્રાતઃકાળે સંપૂર્ણ ભગવદ્‌ ગીતાનું સામુહિક ગાન કરવામાં આવ્યું હતું.

શ્રીહરિ જયંતી મહોત્સવ - 2017

ભગવાન શ્રી રામ જન્મોત્સવ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ પ્રસંગે અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર સહિત રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. દરેક હરિભકતોએ નિલકંઠ વર્ણીને દૂધાભિષેક કરી અનેક પ્રકારના મેવા-મિઠાઇનો થાળ, રાજવિ ઉપચારો તેમજ સુકા મેવા તથા ફળો અર્પણ કરી મહાપૂજા કરી હતા.

શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી જન્મશતાબ્દી મહોત્સવ - રાજકોટ

On the occasion of 100th birth anniversary year of Param Pujya Purani Swami Shree PRamprakashdasji Swami and Param Pujya Mugat Swami Shree Nirannamuktadasji Swami, with the inspiration from Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and in the holy presence of Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Pujya Purani Shree Shreeharidasji Swami, and under the guidance of Pujya Purani Shree Balkrishnadasji Swami, Gurukul Parivar Celebrated the JANM SHATABDI MAHOTSAV, at Rajkot during January 11 to 15, 2017.

Jalzilani Mahotsav, Gurukul Droneshwar

દ્રોણેશ્વર મહાદેવજીની સાનિધ્‍યમાં મચ્‍છુન્‍દ્રી નદીના કિનારે દ્રોણેશ્વર ગુરૂકુલ દ્વારા ઉજવાયેલ ભવ્‍ય જલઝીલણી મહોત્‍સવ ઉમટેલો માનવ મહેરામણ

સતિ, શૂરાસિંહ અને સત્‍યપુરૂષોના નિવાસથી અનેરી ભાત પાડતો પ્રદેશ એટલે નાઘેર-બાબરીયાવાડ, આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વ પાંડવ ગુરૂ દ્રોણાચાર્યે મચ્‍છુન્‍દ્રીના કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્‍ઠા કરી હતી. આજે પણ મહાદેવજીના મસ્‍તક ઉપર અવિરત જલધારા વહી રહી છે.

Pages